સિદ્ધપુર કાત્યોકના મેળામાં લોક-કલ્યાણ સેવા ગ્રુપ અને નારી શક્તિ ગુજરાત દ્વારા કેમ્પનું આયોજન કરાયું

પાટણ
પાટણ

કહેવાય છે ને કે અડસઠ તીર્થ કર્યા પછી પણ જો સિધ્ધપુરની ભૂમિના દર્શન કરવામાં ના આવે તો ઍ તીર્થ અધૂરું છે, એવી આપણી સિદ્ધપુરની પવિત્ર ભૂમિ એ તર્પણ વિધિ માટે સમગ્ર રાજ્ય પૂરતી સીમિત નથી બલ્કે દેશ અને દુનિયામાં પણ પ્રચલિત છે, જેમાં પ્રાપ્ત વિગતો મુજબ હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓએ તપ કરેલ છે, જેથી એને ઐતિહાસિક ભૂમિ તરીકે જાણીતી છે, જેમાં સરસ્વતી નદી એટલે કે માં કુવારીકા ( કે જે આજ દિન સુધી કોઈ દરિયાને મળી નથી) એ નદીના વહેણ પર જે સિધ્ધપુર વસેલું છે,જેની ભૂમિ ઉપર તર્પણ- વિધિ કરવા દૂર દૂરથી લોકો આવે છે, અને અહીં તર્પણ- વિધિ કરવાથી મોક્ષ ગતિ મળે છે, એ વાતને લઈને લોકોમાં ખુબ જ અતૂટ શ્રદ્ધા છે, જે વાતને લઈને સિદ્ધપુરની સરસ્વતી નદીના પટમાં ઘણા બધા વર્ષાથી સાંસ્કૃતિક વારસા મુજબ ભવ્ય થી ભવ્ય 7 દિવસ સુધીનો લોક-મેળો ભરાય છે,


આ મેળામાં માં જે જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમની આત્માની મોક્ષ ગતિ માટે કાર્તિકી પૂનમના દિવસે તર્પણ વિધિ કરીને દિવંગત આત્માને મોક્ષ મળે માટે દાન-દક્ષિણા ને ભોજન આપીને પુણ્યનું ભાથું મેળવતા હોય છે,ત્યારે સમગ્ર સમાજની સાથે સાથે વહીવંચા તુરી બારોટ સમાજના લોકો પણ દૂર દૂરથી કાર્તિકી પૂનમના દિવસે તર્પણ-વિધિ કરવા માટે આવતા હોય છે, ત્યારે સંસ્થા દ્વારા લોકોને અગવડતા ના પડે એ માટે છેલ્લા પાંચ વર્ષથી ઉત્તર ગુજરાત ની વહીવંચા બારોટ સમાજની સેવાકીય સંસ્થા લોક-કલ્યાણ સેવા ગ્રુપ અને નારી શક્તિ મહિલા સંગઠન ગુજરાત દ્વારા તર્પણ કરવા આવતા સમાજ બંધુઓને સારી સગવડ મળી રહે તેવા ઉદેશ્યથી લોકોના હિત માટે સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં વિસામો અને પાણીનો સેવા- કેમ્પ કરવામાં આવે છે આ અયોજન કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક-કલ્યાણ નારી શક્તિ મહિલા સંગઠનની મહિલાઓ એક નવા જ અંદાજમાં શિસ્તની સાથે યુનિફોર્મમાં અને આઈ કાર્ડ સાથે લોકોની સેવા માટે ખડપડે ઉભી રહી એકતા સંગઠન અને શ્રેષ્ઠ શક્તિનું ઉત્તમ ઉદારણ પૂરું પાડયું, તથા 100 થી વધારે બહેનો એ સભ્યનોંધણી કરાવી આ સંગઠન માં જોડાયા હતા અને 200થી વધારે બહેનો ને માહિતગાર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.