![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/viksi.png)
ચડાસણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં યોજાયો
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ’થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પાટણ તાલુકાનાં ચડાસણા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં યોજાયો હતો.
સરકારની કલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા તથા તેના માટે જાગૃતિ લાવવાના હેતુસહ પાટણ તાલુકાનાં ચડાસણા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હરુ. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ લલીબે તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર, ભાવેશભાઈ દેસાઈ, મંગાજી ઠાકોર, રામુજી ઠાકોર, પ્રકાશભાઈ પટેલ, જયરામભાઈ દેસાઈ, પાટણ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા