પાટણના આનંદ સરોવરમાંજળકુંભીની વેલના કારણે આસપાસના સ્થાનિકોને ઝેરી જીવજંતુનો ભય

પાટણ
પાટણ

પાટણ શહેરના આવેલા આનંદ સરોવરમાં દર વર્ષે શહેરમાં થતા ભારે વરસાદ બાદ નવા નીરની આવકથી આનંદ સરોવર છલકાઈ જાય છે. ત્યારે પાટણ શહેરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા અઢી ઇંચ વરસાદના કારણે આનંદ સરોવર અડધુ ભરાઈ ગયું છે .

પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા વરસાદને પગલે શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે શહેરમાં આવેલા આનંદ સરોવરમાં વરસાદના નવા નીર ની આવક શરૂ થઈ છે અને આનંદ સરોવર અડધું ભરાઈ જવા પામેલ છે. ત્યારે સરોવરમાં જામેલી જળકુંભી ની વેલ પણ વરસાદનું પાણી ભરવાના કારણે ઉપરની સપાટી સુધી આવી પહોંચે. ત્યારે આસપાસમાં સોસાયટીના રહીશોને ઝેરી જીવજંતુ તેમના રહેણા વિસ્તારોમાં આવે તેવી દહેશત સતાવી રહી છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને થોડા સમય અગાઉ જ આનંદ સરોવરમાં જામેલી જળકુંભીની વેલને બહાર કાઢવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે માત્ર એક જ વર્ષમાં આનંદ સરોવરમાં ફરી જળકુભીની વેલ ઉગી નીકળતા નગરપાલિકાએ ખર્ચેલા રૂપિયા ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું શહેરીજનોમાં ચર્ચા રહ્યું છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.