રૂપિયા 3.50 કરોડના ખર્ચે માર્ગ સુધારણા, ટ્રાફિક સમસ્યામાં રાહત અને વેપાર ક્ષેત્રને પ્રોત્સાહન
પાલનપુર શહેરના ટ્રાફિક અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. શહેરને જગાણા વિસ્તાર સાથે જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણ માટે અંદાજે રૂપિયા 3.50 કરોડના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.
માર્ગ તૈયાર થયા બાદ પાલનપુર અને જગાણા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે, જેના પરિણામે વાહનચાલકોનો સમય અને ઈંધણ બંનેની બચત થશે. ગોબરી રોડ પરના અવરોધરૂપ દબાણો દૂર કરી માર્ગને વિસ્તૃત કરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થશે.સુધારેલા માર્ગના કારણે આસપાસના માર્કેટ યાર્ડ, રિયલ એસ્ટેટ તથા નાના વેપારીઓને સીધો લાભ મળશે. વહીવટી તંત્ર અને જાગૃત નાગરિકોની દેખરેખ હેઠળ કામગીરીની ગુણવત્તા જળવાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ પ્રોજેક્ટ માત્ર માર્ગ સુધારણા નથી, પરંતુ પાલનપુરના વિસ્તરી રહેલા શહેરી માળખાનો મહત્વનો ભાગ છે, જે શહેરની ઓળખ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

