અમદાવાદમાં 12 જૂન થયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. પાલનપુર હોમગાર્ડ યુનિટે આજે પરેડ દરમિયાન વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. યુનિટના સભ્યોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનોને આ દુ;ખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઓફિસર કમાન્ડિંગની આગેવાની હેઠળ પ્લાટુન કમાન્ડર સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- June 16, 2025
0
536
Less than a minute
You can share this post!
editor

