પાલનપુર તિરુપતિ રાજ નગરના મકાનમાં આગ ભભુકી ઉઠી

પાલનપુર તિરુપતિ રાજ નગરના મકાનમાં આગ ભભુકી ઉઠી

પાલનપુરના આબુરોડ હાઈવે પર આવેલ રહેણાંક સોસાયટીના એક મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભુકી હતી. આગને લઈને સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં સદનસીબે કોઈપણ જાનહાની સર્જાઈ ન હતી.

પાલનપુરમાં આબુરોડ હાઈવે સ્થિત તિરુપતિ રાજ નગર સોસાયટીના એક મકાનમાં રાત્રિના 9 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગવાની ઘટના વખતે પરિવારમાં પ્રસંગ હોવાથી ઘર બંધ કરીને બહાર ગયા હતા. તે સમયે બંધ મકાનમાં આગ ભભુકી હતી. અને આ ઘટનાની જાણ સોસાયટીમાં રહીશોને થતા    ઘરના બારીના કાચ તોડી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ગાડીને જાણ કરી હતી.  આગ પર કાબુ મેળવતા હાશકારો અનુભવ્યો હતો. આગની ઘટનામાં ઘરના લાઈટ પંખા, સોફા એ.સી સહિતનો સામાનને નુકશાન પહોંચ્યું હતું.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *