![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/priyanka.png)
‘સત્તામાં રહેવા માટે આ લોકો કંઈ પણ કરી શકે છે’, પંજાબમાં પ્રિયંકા ગાંધીનો BJP પર આકરો પ્રહાર
દિલ્હી: લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને છેલ્લા તબક્કા પહેલા તમામ રાજકીય પક્ષોના નેતાઓ પોતપોતાના પક્ષો અને ઉમેદવારો માટે ‘ચૂંટણી પ્રચાર’ કરી રહ્યા છે. આ શ્રેણીમાં, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે (26 મે) પંજાબના ફતેહગઢ સાહિબમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપ સત્તા માટે કંઈ પણ કરી શકે છે
વડાપ્રધાન મોદી અને ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યું, ‘…તેઓ (ભાજપ) દેશની સત્તા માટે કંઈ પણ કરી શકે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના ખોટા અને પોકળ વચનોનો હેતુ માત્ર તમારા વોટ લઈને દેશમાં સત્તા પર કબજો કરવાનો છે.
કોંગ્રેસ મહાસચિવે કહ્યું, ‘… આજે આપણા દેશમાં જે રાજનીતિ પ્રબળ છે તે માત્ર ભાગલા પાડવાની અને તમારો ફાયદો ઉઠાવવાની રાજનીતિ છે. વડાપ્રધાન મોદી સત્તા માટે કંઈ પણ કરી શકે છે અને આ વાત ખેડૂતોના આંદોલન દરમિયાન સ્પષ્ટ થઈ ગઈ હતી. તેઓ તમારા સંઘર્ષને ઓળખી શક્યા નહીં, પરંતુ ચૂંટણી આવતા જ તેમણે મત માટે કાળા કૃષિ કાયદા હટાવી દીધા.
ભાજપની તમામ નીતિઓ ખોટી છે
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને ભાજપની તમામ નીતિઓ ખોટી છે. તેઓ જનતાને ઠાલા વચનો આપે છે… ભાજપવાળા જે હલકી વાતો કરે છે તે માત્ર સત્તા મેળવવા માટે કરે છે. તેઓ માત્ર શક્ય કોઈપણ રીતે સત્તા મેળવવા માંગે છે. સભાને સંબોધત તેમણે કહ્યું કે સત્તામાં રહેવા માટે તમારે મની પાવરના આધારે તમારી ચૂંટાયેલી સરકારોને તોડી પાડવાની જરૂર પડી શકે છે. તમે હિમાચલ અને મહારાષ્ટ્રમાં જોયું કે કેવી રીતે દરેક ધારાસભ્યોને 100 કરોડ રૂપિયા આપીને ખુલ્લેઆમ ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સાત તબક્કાની લોકસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો 1 જૂને છે અને મતગણતરી 4 જૂને થશે.