![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/alkt.png)
તાપી: ઉકાઈ જળાશયના પાણીમાં નાહવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત
તાપીમાં બે બાળકોનું પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ નિઝરના દેવલપાડા ગામના બે બાળકો ઉકાઈ જળાશયના પાણીમાં નાહવા ગયા હતા. જ્યાં ઉકાઇ જળાશયના ઊંડાણમાં ડુબી જવાથી બન્ને બાળકોનું મોત નિપજ્યુ છે. બાળકનું નામ જીગર વિલાસભાઈ પડવી અને બીજા બાળકનું નામ રુદ્ર સંજયભાઇ વળવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ પણ ઉકાઈ ડેમના જળાશયમાં નાહવા પડેલા માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. ભૂલકાંઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો થયો હતો. ઉકાઈ ડેમનો કેચમેન્ટનો વિસ્તાર તાપી જિલ્લાના છેવાડે આવેલ નિઝર કુકરમુંડા સુધી ફેલાયેલો છે અને કેચમેન્ટની આસપાસ લોકો વસવાટ પણ કરે છે.