પેરિસ ઓલિમ્પિક: કુસ્તીમાંથી ભારત માટે સારા સમાચાર, અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ

Other
Other

ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત ભારત માટે મોટા સમાચાર લઈને આવ્યા છે. અમને 57 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમને પ્યુર્ટો રિકોના કુસ્તીબાજ ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, અમન એશિયન ચેમ્પિયન રહી ચૂક્યો છે અને તેણે અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ પણ જીત્યો છે. અમનના આ મેડલ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનો આ પહેલો મેડલ છે. ભારતને કુસ્તીમાં મેડલની શોધ હતી, જે અમાને પુરી કરી લીધી છે. અગાઉ બધાને વિનેશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી પરંતુ વધુ વજન હોવાના કારણે તે ગોલ્ડ મેડલ મેચ પહેલા જ અયોગ્ય જાહેર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં અમનનો આ મેડલ કુસ્તીમાં ભારત માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે. 

અમનને સેમિફાઈનલમાં જાપાનના રેઈ હિગુચી સામે 0-10ના માર્જિનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેઓએ બ્રોન્ઝ મેડલ મેચમાં શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું અને ડેરિયન ટોઇ ક્રુઝને વધુ તક આપી ન હતી. અંતે, અમને અદ્ભુત રમત બતાવી અને લીડને 13-5ના સ્કોરમાં ફેરવી દીધી. આ રીતે અમન સેહરાવતના મેડલે ઓલિમ્પિકમાં ભારતની કુસ્તીનું ગૌરવ જાળવી રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, 2008થી ભારતે સતત 5 ઓલિમ્પિકમાં કુશ્તીમાં મેડલ જીત્યા છે. હોકી બાદ ભારતના સૌથી વધુ 8 ઓલિમ્પિક મેડલ કુસ્તીમાંથી આવ્યા છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત, 1952માં, KD જાધવે ભારત માટે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી ભારતને 56 વર્ષ સુધી કુસ્તીમાં મેડલ ન મળ્યો અને પછી સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને આ દુષ્કાળનો અંત લાવ્યો. ત્યારથી, ભારતીય કુસ્તીબાજો ઓલિમ્પિકમાં સતત મેડલ જીતી રહ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુસ્તીબાજ અમાનને કુસ્તીમાં પહેલો મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમે લખ્યું, “અમારા કુસ્તીબાજોએ અમને વધુ ગૌરવ અપાવ્યું છે! પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમન સેહરાવતને અભિનંદન.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.