ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન તેજસ ક્રેશ થયું હોવાનું સામે આવ્યું પાયલોટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા

Other
Other

રાજસ્થાનના જેસલમેરમાં આજે યુદ્ધાભ્યાસ દરમિયાન અકસ્માત સર્જાયો છે. ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન તેજસ ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. વાયુસેનાએ એક નિવેદન જારી કરીને દુર્ઘટનાની જાણકારી આપી છે. વાયુસેનાએ કહ્યું, ‘ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન આજે જેસલમેરમાં ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. પાયલોટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી છે.

રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું ફાઈટર જેટ તેજસ ક્રેશ થયું છે. આ ફાઈટર જેટ યુદ્ધાભ્યાસમાં ભાગ લેવા જઈ રહ્યું હતું જેસલમેર શહેરની મધ્યમાં જવાહર કોલોની પાસે આ વિમાન આગના ગોળાની જેમ પડ્યું હતું. ફાઈટર પ્લેન એક હોસ્ટેલ સાથે પણ અથડાયું હતું. આ દુર્ઘટનામાં ફાઈટર જેટનો પાઈલટ સુરક્ષિત છે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્લેન પડતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્લેન પડતાની સાથે જ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેસલમેર નજીક પોકરણમાં સેનાની કવાયતમાં હાજર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.