પૂર્વ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયા સંજીવ ભટ્ટના સમર્થનમાં કોંગ્રેસ આવી
બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસ.પી.પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં મુદત પડી હતી. આમ બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસ.પી.સંજીવ ભટ્ટના કાર્યકાળ દરમિયાન નારકોટિક્સનો કેસ થયો હતો. જેમાં એક વકીલને ફસાવવામાં તેઓની કથિત સંડોવણી બહાર આવતા તેઓ સામે કેસ દાખલ કરાયો હતો. આમ એનડીપીએસના કેસમાં તેઓ પાલનપુર જેલમાં છે ત્યારે તેઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટમાં મુદત પડી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા તેઓના સમર્થનમાં બેનરો સાથે પ્રદર્શન ચર્ચાસ્પદ બન્યું હતું.