![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/rahul-gandhi.png)
આખરે રાહુલ ગાંધીએ એવું તો શું કહ્યું કે ગૃહમાં હોબાળો થઇ ગયો? જાણો…
આજે લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ વિશે એક મોટી વાત કહી, જેના કારણે હોબાળો થયો હતો. પીએમ મોદીએ રાહુલ ગાંધીને અટકાવતા કહ્યું કે તમે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહ્યા છે. જે બાદ અમિત શાહે પણ તીખી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આખા દેશની માફી માંગવી જોઈએ.
સંસદમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતના બંધારણ પર આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો છે. આનો વિરોધ કરનારાઓને કચડી નાખવામાં આવ્યા છે. અમારા ઘણા નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા. કેટલાક નેતાઓ હજુ પણ જેલમાં છે. રાહુલ ગાંધીએ ગૃહમાં ભગવાન શિવની તસવીર પણ દેખાડી જેનો સ્પીકર ઓમ બિરલાએ વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે વિપક્ષોએ સાથે મળીને દેશમાં બંધારણની રક્ષા કરી છે. તેમને ભગવાન શિવ પાસેથી શક્તિ મળે છે.
Tags india Rahul Gandhi Rakhewal