![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/03/Rakhewal-83.jpg)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ વિધાનસભાગૃહમાં ધારાસભ્યોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ એરપોર્ટથી રાજભવન રવાના થશે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણી સંદર્ભે રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરશે. તેઓ આજે સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી રાજભવન જશે.તેઓ 10.50 વાગ્યે વિધાનસભામાં બજેટસત્રની બેઠકમાં ધારાસભ્યોને સંબોધન કરશે.રાજભવનમાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે સવારે આઠ વાગે જામનગર માટે પ્રસ્થાન કરશે, જયાં INS વાલસુરામાં આયોજિત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે.