![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-188.jpg)
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં બનાસનદી બે કાંઠે
બનાસનદી બે કાંઠે થતાં અમીરગઢના નદીકાંઠાના ગામડાઓને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, કોઇને નદી કિનારા નજીક જવું નહીં. કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હજું નદીમાં વધારે પાણી આવવાની શક્યતાઓ વર્તાઇ રહીં છે.
બનાસનદીમાં પાણીમાં વધારો થતા દાંતીવાડા ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમની સપાટી 566.80 ફૂટે પહોંચી છે. દાંતીવાડામાં અત્યાર સુધી 21.29 ટકા પાણી થયું છે. જોકે, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હજુ દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.