અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સ્ટારર ‘સંદીપ ઔર પિંકી ફરાર’ આજે રિલીઝ થશે

Other
Other

મુંબઈ,
‘રૂહી’ પછી પ્રોડ્યૂસર ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા અંગે ભારે ઉત્સાહમાં છે. અપકમિંગ ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ ૧૯ માર્ચે રિલીઝ થઈ રહી છે. અર્જુન કપૂર પિંકી દાહિયાના રોલમાં છે. પરિણીતી ચોપરા સંદીપ કૌરના પાત્રમાં જાેવા મળશે. અર્જુને કહ્યું, ફિલ્મનું શૂટિંગ ૨ મહિનામાં પૂરું કર્યું હતું. જાેકે, કેરેક્ટરની તૈયારી માટે ૩ મહિના થયા હતા.
અર્જુને કહ્યું, દિબાકરસરે જ્યારે સાઈન કર્યો ત્યારે ત્રણ મહિના કેરેક્ટરની તૈયારી માટે આપ્યા હતા. શૂટિંગ તો ૨ મહિનામાં જ પૂરું થઈ ગયું હતું. દિબાકર સર રોજ મારા ઘરે આવે અને તરુણને ડાયલેક્ટ પર મારી મદદ કરી હતી. હું પાંચમા ધોરણના પુસ્તકો વાંચતો હતો. પિંકી દાહિયાની બોલવાની લઢણ પર ઘણી મહેનત કરી હતી. એ હદે તૈયારી કરી હતી કે દિબાકર સર સાથે હરિયાણવી લહેકામાં જ વાત કરતો હતો. સૌથી મહત્ત્વની વાત દિલ્હી ટૂરની હતી. અહીંયા તે મને મહિપાલપુર વિસ્તારમાં લઈ ગયા હતા. રિટાયર્ડ પોલીસને મળ્યો હતો. દિલ્હીનો જાટ તથા હરિયાણાનો જાટ અલગ હોય છે.
અર્જુને કહ્યું, પિંકી દાહિયા તથા મુંબઈ પોલીસ વચ્ચે આકાશ-જમીનનું અંતર છે. પિંકી દાહિયા દિલ્હી-ગુરુગ્રામની બોર્ડર પર રહે છે. તેનું માઈન્ડસેટ અલગ છે. પરિસ્થિતિ અલગ છે. તે કેસને અલગ રીતે હેન્ડલ કરે છે. આ ફિલ્મ પોલીસ ઉપરાંત પિંકી દાહિયા જે વ્યક્તિ છે, તેના વિશે છે. આ એવો વ્યક્તિ છે, જે સિસ્ટમમાં ફસાયેલો છે.
અર્જુને કહ્યું, પહેલી મુલાકાતમાં નેરેશન માત્ર ૧૫ મિનિટ થયું હતું. અમે બીજી વાતો કરવા લાગ્યા હતા. તે દિવસે નેરેશન અધૂરું રહ્યું હતું. પછી તેમણે સ્ક્રિપ્ટ આપી અને મેં વાંચી હતી. ત્રણ મહિના સુધી કેરેક્ટરની તૈયારી કરી હતી. સેટ પર મને બધા અર્જુન નહીં, પિંકી કહીને બોલાવતા હતા. ખરી રીતે તો દિબાકરને ભારતના દરેક ખૂણાની ખબર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.