![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/amarna.png)
ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત
ખરાબ હવામાનના કારણે આજે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.
પહેલગામમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રાને પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી પવિત્ર ગુફા સુધી અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. યાત્રા આગમન બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ ચાલુ છે.