![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/10/dahod.png)
દાહોદમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10 લોકોને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડાયા
રાજ્યમાં અકસ્માતના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દાહોદમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ડ્રાઈવર સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગોંડલથી ગુલબાર જતી બસને રામપુરા હાઈવે પર અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી અનુસાર રામપુરા હાઈવે પર બસની આગળ જઈ રહેલા ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બસ અથડાઈ હતી. જેના કારણે એસટી બસ નજીકના ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.