રાજકોટમાં 22 વર્ષના તબીબનું હાર્ટ એટેકથી મૃત્યુ
યુવાન ઉંમરે જ ક્યારેક ઘરમાં બેઠા બેઠા તો ક્યારેક બહાર ચાલતા ચાલતા હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટમાં 22 વર્ષના તબીબનું જ મોત થઈ ગયું છે
રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. જેમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં 22 વર્ષના ડોક્ટરે હાર્ટ એટેકથી તેનો જીવ ગુમાવ્યો છે. મૃતક ડૉક્ટર અવિનાશ વૈષ્ણવ અહીંની એક ખાનગી હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા હતા. તેઓ અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ નેચરલ હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યું છે.
Tags HEART ATTACK india Rakhewal