ઊંઝા રાત્રિ પેટ્રોલિંગ વધારવા પી.આઈ.દરજીને લેખિત રજૂઆત
ઊંઝા ઉમિયા માતાથી ગાંધીચોક રોડ પર રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા તેમજ શીતળામાતા મંદિર પાસે હોમગાર્ડ પોઈન્ટ મૂકવા કૃણાલ મકવાણાએ ઊંઝા પી.આઈ પી.ડી.દરજીને રજૂઆત કરી છે. ઊંઝા પી.આઈને કરેલ લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે, અનુસુચિત જાતી મહોલ્લામાં અગાઉ ચોરી તેમજ ચોર આવવાની ઘટના બનેલ. જે કારણે આજુબાજુના વિસ્તારના લોકોમાં રાત્રી દરમિયાન ચોર આવે છે એવો ભયનો માહોલ સર્જાયો છે. જેમાં ભવિષ્યમાં આવી ઘટનાને રોકી શકાય તે માટે રાત્રી દરમિયાન ઉમિયા માતાથી ગાંધીચોક રોડ તેમજ આજુબાજુનાં વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને શીતળામાતા મંદિર પાસે હોમગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે એવી માંગ કરાઈ છે.