પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
ગઈકાલે, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે પ્રધાનમંત્રીને મળ્યા હતા. અગાઉ, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે પણ શ્રી મોદી સાથે મુલાકાત કરી હતી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે અલગ અલગ બેઠકો યોજાઈ હતી.