ઉત્તર ભારતમાં પૂરથી તારાજી : પીએમ મોદી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે

ઉત્તર ભારતમાં પૂરથી તારાજી : પીએમ મોદી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે

જમ્મુ-કાશ્મીરમાં વુલર તળાવનું સતત વધતું જળસ્તર : નીચલા ગામોમાં પૂરની આશંકા : રાજસ્થાનમાં દૌસામાં મોરલ ડેમ ભરાઈ ગયો : અજમેરમાં બોરાજ તળાવની દીવાલ તૂટવાથી લગભગ એક હજાર ઘરોમાં પાણી ભરાયું : અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવ ફાટવાની આશંકા

પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો ભારે વરસાદ અને પૂરની ઝપેટમાં છે. પંજાબમાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં લગભગ 2000 ગામ પાણીમાં ડૂબી ગયા છે. પંજાબમાં ભયાવહ પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં પૂર પ્રભાવિત રાજ્યોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરશે.

શુક્રવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. ભારે વરસાદે ઉત્તર ભારતના રાજ્યોને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે રસ્તાઓ અને સંપત્તિનો નાશ થયો છે અને ઘણા લોકો માર્યા ગયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ જેવા રાજ્યોના કેટલાક ભાગો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે.

ભાખરા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના અધ્યક્ષ મનોજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ડેમમાં મર્યાદિત જળસંગ્રહ ક્ષમતા હોય છે અને તેનાથી વધુ પાણી આવે તો તેને નીચેના પ્રવાહમાં છોડવું પડે છે. તેમણે ઉમેર્યું કે આ વર્ષે પોંગ ડેમમાં 11.7 બિલિયન ક્યુબિક મીટર (BCM) પાણી આવ્યું, જે 1988ના 7.9 BCM કરતાં ઘણું વધારે છે. તેમણે ચેતવણી આપી કે જો આ ડેમ ન હોત તો પંજાબમાં જૂન મહિનાથી જ પૂર આવી ગયું હોત.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *