મુક્તેશ્વર ડેમના 4 દરવાજા ખોલાયા:સરસ્વતી નદીમાં પાણી છોડાયું
ડેમમાંથી પાણી છોડાતા લોકો નજારો જોવા ઉમટ્યા: તંત્રએ સતર્ક રહેવા આપી સૂચનાચ બનાસકાંઠા જિલ્લા પર મેઘો મહેરબાન થતા નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.
મુક્તેશ્વર ડેમના દરવાજા ખોલવા થી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે. નદીમાં પાણી વહેતું થતાં આસપાસના વિસ્તાર ના લોકો આ નજારો જોવા ઉમટી પડ્યા હતા. પાણીનો પ્રવાહ વધવાથી ડેમની સામે આવેલો રોડ પણ પાણીથી ભરાઈ ગયો છે. જેના કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ માર્ગ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી તંત્રે લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. ભારે વરસાદને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

