![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/105301banner.png)
ભારતમાં અત્યાર સુધી 20,084 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એકવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા
નવી દિલ્હી : દેશમાં અત્યાર સુધી 20,084 કેસ નોંધાયા છે અને 645 લોકોના મોત થયા છે. મંગળવારે 1537 નવા દર્દી સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 552, ગુજરાતમાં 239, રાજસ્થાનમાં 159, ઉત્તર પ્રદેશમાં 153 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ મંગળવારે એક દિવસમાં રેકોર્ડ 702 દર્દીઓ સાજા પણ થયા છે. હવે ભારત એવા 17 દેશોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં સંક્રમણના 20 હજારથી વધારે કેસ છે.આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.