![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/54455445.jpg)
દેશમાં અત્યાર સુધી 24,505 કેસ,મૃત્યુઆંક 780ઃ 24 કલાકમાં 1408 સંક્રમિત વધ્યા, 484 દર્દીઓ ડિસચાર્જ
નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24,505 થઈ ગઈ છે. શુક્રવારે 1408 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તરપ્રદેશમાં 11, રાજસ્થાનમાં 44, બિહરમાં 53 અને ઓરિસ્સમાં એક કેસ સામે આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 23 હજાર 452 છે.