કોરોના : રાહુલ ગાંધીએ કહ્યું લોકાઉન કોરોનાનો ઈલાજ નથી, માત્ર પોઝ બટન છે; ટેસ્ટિંગ જ યોગ્ય હથિયાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી 
 
દેશમાં કોરોના મહામારીના સંકટને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે આપણે એક ગંભીર સ્થિતિમાં છીએ. તમામ રાજકીય પક્ષોએ એક થવાની જરૂર છે.
 
તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા બે મહિનામાં મે ઘણા એક્સપર્ટ સાથે વાત કરી છે. લોકડાઉન માત્ર પોઝ બટન છે, લોકડાઉન માત્ર તમને સમય આપી શકે છે જેનાથી તમે તૈયારી કરી શકો. કોરોનાને હરાવવા માટે ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ. વાઈરસની આગળ રહીને કામ કરવું પડશે. રાહલ ગાંધીએ કહ્યું કે સરકારે ટેસ્ટિંગને લઈને એક રણનીતિ બનાવવી જોઈએ, જેનાથી કોરોનાના દર્દીઓને બચાવી શકાય.
તેમણે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કામ રાજ્યોને માત્ર તાકાત આપવાનું છે, રાજ્યોને પૈસા આપવાની જરૂરીયાત છે. સમગ્ર દેશને એક થઈને આ વાઈરસ સામે લડવાની જરૂર છે. માત્ર લોકડાઉનથી કામ નહી થાય.તમારે તમારી તાકાતનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
 
ઉલ્લેખનીય છે કોરોના વાઈરસને લઈને રાહુલ ગાંધી ઘણીવાર સરાકર પર સવાલ ઊભા કરી ચૂક્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.