કેજરીવાલ જે રીતે અખલાકના પરિવારને મળવા ગયા તે રીતે રિન્કુ શર્માના પરિવારને મળશે?: કંગના

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીમાં ભાજપના કાર્યકર રિન્કુ શર્માની હત્યાના પડઘા આખા દેશમાં પડ્યા છે.હવે રાજકીય મોરચે પણ તેને લઈને ગરમાવો આવ્યો છે ત્યારે બોલીવૂડ એક્ટ્રેસ કંગનાએ આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યુ છે.

રિન્કુ શર્માની ખંજર વડે કરાયેલી હત્યા બાદ કંગનાએ ટ્વિટ કર્યુ છે કે, જે રીતે દાદરીમાં મોબ લિન્ચિંગનો ભોગ બનેલા અખલાકના પરિવારને કેજરીવાલ મળવા ગયા હતા તે જ રીતે તેઓ રિન્કુ શર્માના પરિવારજનોને પણ મળશે તેવી મને આશા છે.કેજરીવાલ એક રાજનેતા છે અને એક સ્ટેટ્સમેન પણ બનીને દેખાડશે.

કંગનાએ વધુમાં કહ્યુ હતુ કે, રિન્કુ શર્માના પિતાના દર્દને મહેસૂસ કરો અને તમારા પરિવારના સભ્યો અંગે વિચારો, કોઈ દિવસ કોઈ બીજો હિન્દુ સામૂહિક રીતે જય શ્રી રામ કહેવા બદલ માર્યો જશે. કંગનાએ સાથે સાથે માર્યા ગયેલા રિન્કુ શર્માની તસવીર પણ શેર કરી છે.જેમાં તેના પીઠમાં ખંજર ભોંકાયેલુ નજરે પડે છે.

રિન્કુ શર્માની હત્યા માટે તેના ભાઈએ રામ મંદિર માટેની પ્રવૃત્તિને જવાબદાર ગણાવી છે.રિન્કુ જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ આ હત્યાકંડ બાદ રોષની લાગણી છે.ભાજપ દ્વારા આ મુદ્દાને આગળ ધરીને કેજરીવાલ સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલ રિન્કુ શર્માના પરિવારને મળ્યા નથી તે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.