ખેડૂતોના ખાતામાં આવતા 6000 રૂપિયામાં વધારો થશે કે નહીં, મોદી સરકારે કર્યો આ મોટો ખુલાસો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારવાની સરકારની પાસે કોઈ દરખાસ્ત નથી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સંસદને માહિતી આપી હતી કે આવી સ્થિતિમાં ખેડૂત પરિવારોને અગાઉની જેમ વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોનાં બેંક ખાતાઓમાં સીધા 2,000 રૂપિયા ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન 6,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા 1 ડિસેમ્બર 2019 બાદ આધાર કાર્ડ જરૂરી બન્યું છે.

આ યોજના અંતર્ગત ફાળવણી અને મંજુરી રાજ્યવાર આપવામાં આવતી નથી. જેમ કે રાજસ્થાનમાં આશરે 70,82,035 ખેડૂત પરિવારોને વિવિધ હપ્તાને આવરી લેવા માટે આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ રાજ્યમાં 7,632.695 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા 1,45,799 છે, જ્યારે દૌસા જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા 1,71,661 છે. મહારાષ્ટ્રમાં પીએમ કિસાન યોજના અંતર્ગત અયોગ્ય ખેડૂતો પાસેથી ભંડોળની વસૂલાત અંગેના બીજા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે 11 માર્ચે લગભગ 78.37 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આવા કિસ્સામાં યોગ્ય રીતે પૈસા લેતા વ્યક્તિઓ પાસેથી પૈસા પાછા લેવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.