48 વર્ષથી કોંગ્રેસમાં રહેલા બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?, જાણો..
બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ હતું. બાબા સિદ્દીકી લગભગ 48 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા. આ પછી, આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ કોંગ્રેસ છોડીને અજિત પવારના જૂથની એનસીપીમાં જોડાયા હતા. બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.
આ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી મહારાષ્ટ્ર સરકારે લેવી જોઈએ.
NCPના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની બાંદ્રા વિસ્તારમાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે તેનો પુત્ર ઝીશાન સિદ્દીકી બાંદ્રામાં તેની ઓફિસમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે ત્રણ માસ્ક પહેરેલા હુમલાખોરોએ તેના પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનામાં બે ગોળી સિદ્દીકીના પેટમાં અને એક છાતીમાં વાગી હતી. એક ગોળી સિદ્દીકીની સાથે રહેલા વ્યક્તિના પગમાં વાગી હતી, જ્યારે બે ગોળી સિદ્દીકીની કારને પણ વાગી હતી.