ભાજપના દિગજ્જ નેતા દેવેન્દ્ર ફડણવીસ કોરોના સંક્રમિત થયા બાદ શિવસેનાના નેતાએ લગાવ્યું નિશાન, આ વાત ઉપર કરી પ્રશંસા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું. તેને ધ્યાન રાખવાનું કહી રહ્યાં હતા અને હવે તેને બહારની સ્થિતિનો અહેસાસ થશે કે બહારની સ્થિતિ ગંભીર છે. મહામારી દરમયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘરની બહાર નહીં નીકળવા પર વિપક્ષે હાલમાં જ તેના પર નિશાન સાધ્યું હતુ. તેને ધ્યાને રાખીને તેણે આ ટીપ્પણી કરી હતી.
સારી સારવાર માટે અધિકારીઓને આપ્યા આદેશ
રાઉતે કહ્યું કે, ઠાકરેએ વિપક્ષ નેતા ફડણવીસને સારી સારવાર થાય તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને આદેશ અપાયો છે. ફડણવીશે શનિવારે કહ્યું હતું કે, તે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પાર્ટીના એક સુત્રના જણાવ્યા પ્રમાણે ભાજપના નેતાને મુંબઈની એક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેની હાલત સ્થિર છે. સુત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે સાંજે મુંબઈ આવ્યા બાદ ફડણવીસે પોતાની તપાસ કરાવી હચી. કારણ કે તેની સાથે બિહાર ચૂંટણી પ્રચારમાં શામેલ થયેલા ભાજપના કેટલાક નેતા કોવિડ-19થી સંક્રમિત થયેલા મળી આવ્યાં હતાં.
ફડણવીસને ધ્યાન રાખવાનું કહેતા હતા : સંજય રાઉત
ફડણવીસ 19થી 21 ઓક્ટોબર સુધી પુર પ્રભાવિત પશ્વિમી મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારના પ્રવાસ ઉપર હતાં. શું રવિવારે ઠાકરે પરિવાર સાંજે વાર્ષિક દશેરા સંબોધનમાં ભાજપ ઉપર નિશાન સાધશે તો તેના ઉપર સંજય રાઉતે કહ્યું હતું કે, અમે દેવેન્દ્ર ફડણવીસને ધ્યાને રાખવા માટે કહ્યું હતું. તેને હવે અબેસાસ થશે કે બહારની સ્થિતિ ગંભીર છે. વિપક્ષ ક્યાંય નહીં જવા માટે મુખ્યમંત્રી પર નિશાન સાધી રહ્યું છે. તેણે કહ્યું કે, ફડણવીસને સરકારી હોસ્પિટલમાં દાખલ થઈને સારો સંદેશો વહેતો કર્યો છે. અને ઠાકરે તેના સારી સારવાર સુનિશ્ચિત કરવા માટે આદેશ આપ્યાં છે.
શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ તે પણ કહ્યું કે કોવિડ-19ની રસી તમામ નાગરિકોએ લેવી જોઈએ. પરંતુ તેનું રાજનીતિકરણ સાચુ નથી, તેણે કહ્યું કે, શિવસેનાએ ઠાકરે દ્વારા દશેરાના પાવન દિવસે કરવામાં આવી રહેલા સંબોધનમાં રાજ્યના બે કરોડ લોકોસુધી પહોંચવા માટે વ્યવસ્થા કરી છે. ઠાકરે રવિવારે સાંજે શિવાજી પાર્કની સામે સાવરકર સભાગારમાંથી દશેરાના દિવસે ભાષણ કરશે. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મુખ્યમંત્રી પરિવાર સહિત 50 લોકો શામેલ થશે.