બાંગ્લાદેશમાં અનામતની માંગને લઈને હોબાળો, 6 વિદ્યાર્થીઓના મોત, 400થી વધુ ઘાયલ
હજારો વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અનામતની માંગ સાથે રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. હવે આ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે (18 જુલાઈ) અનામતને લઈને હોબાળો થયો છે. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 400 લોકો ઘાયલ થયા હતા. બાંગ્લાદેશી મીડિયા ઢાકા ટ્રિબ્યુન અનુસાર, ઢાકામાં બુધવારે સવારથી જ આંદોલન શરૂ થઈ ગયું હતું. આંદોલન દરમિયાન જ્યારે પોલીસે વિદ્યાર્થીઓને રસ્તા પર આગળ વધતા અટકાવ્યા ત્યારે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેણે હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. દરમિયાન, બાંગ્લાદેશની શાળાઓ અને કોલેજોને ગુરુવારે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
ખાસ સેવાઓ સિવાય બધુ બંધ
બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધ હિંસક બન્યા પછી, ત્યાંના નેતાઓએ હોસ્પિટલો અને ઇમરજન્સી સેવાઓ સિવાય બધું જ બંધ કરવાની જાહેરાત કરી. રસ્તાઓ પર માત્ર એમ્બ્યુલન્સને જ ચાલવાની મંજૂરી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે માત્ર આવશ્યક સેવાઓને જ રસ્તાઓ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આ બાબતને લઈને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ લોકોની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. આ મામલે ન્યાયિક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
બાંગ્લાદેશના રસ્તાઓ પર વિદ્યાર્થીઓનો આ વિરોધ દેશમાંથી અનામત ખતમ કરવાની માંગ સાથે શરૂ થયો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1971માં બાંગ્લાદેશ સરકારે યુદ્ધમાં લડી રહેલા સૈનિકોના બાળકો માટે સરકારી નોકરીઓમાં આરક્ષણ આપ્યું હતું. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આ અનામત પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે આ કાયદો આગળ પણ લાગૂ કરવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં 30 ટકા નોકરીઓ યુદ્ધના નાયકોના બાળકો માટે આરક્ષિત છે. શેખ હસીનાના આ નિર્ણય પર વિદ્યાર્થીઓમાં ગુસ્સો હતો, તેમના મતે મેરિટના આધારે નોકરી આપવી જોઈએ.