ટીવી દર્શકો ખાસ જાણી લે, મોદી સરકારની ચેનલો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હાલ દેશભક્તો માટે એક સારા સમાચાર આવ્યા છે. આગામી સમયમાં તમામ TV ચેનલોએ દેશહિતને લગતી સામગ્રી ફરજીયાત પ્રસારિત કરવાની રહેશે. તમામ ચેનલોએ દેશહિતને લગતો પ્રોગ્રામ અડધો કલાક પ્રસારીત કરવાનો રહેશે. આ માટે મોદી સરકારે તમામ ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
ભારતીય ટેલિવિઝન ચેનલો માટે દરરોજ 30 મિનિટ માટે ‘દેશહિત’ની સામગ્રી પ્રસારિત કરવી જરૂરી રહેશે. 1 જાન્યુઆરી 2023થી સેટેલાઇટ ટીવી ચેનલો માટે આ નિયમ જરૂરી બની જાય તેવી સંભાવનાઓ છે. નવી ગાઈડલાઈન મુજબ હવે ટીવી ચેનલોએ દરરોજ 30 મિનિટ માટે દેશહિત સાથે સંબંધિત સામગ્રીનું પ્રસારણ ફરજીયાત કરવું પડશે.
આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય કેબિનેટે ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝન ચેનલોના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટેની માર્ગદર્શિકા-2022ને મંજૂરી આપી હતી. આ નવી ગાઈડલાઈન મુજબ ચેનલોને દેશહિતની સામગ્રીને દરરોજ અડધો કલાક પ્રસારિત કરવાની ફરજીયાત રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.