![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/nitish.png)
NDAની બેઠક પહેલા સત્ય આવ્યું બહાર, નીતિશ કુમારને મંત્રાલયમાં રસ જ નથી
લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ એનડીએ ગઠબંધનની આજે બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે અનેક મોટી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સંસદમાં પહોંચ્યા છે. આ બેઠકમાં પીએમ મોદીની કેબિનેટ પર પણ ચર્ચા થશે. જો કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિશે એક મોટું સત્ય સામે આવ્યું છે.
એનડીએની જીત બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપને સમર્થન આપવાના બદલામાં જેડીયુ પ્રમુખ નીતીશ કુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ અનેક મંત્રાલયોની માંગણી કરી છે. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો નીતિશ કુમારે ભાજપ સમક્ષ આવી કોઈ શરત મૂકી નથી. નીતિશને કેન્દ્ર સરકારમાં મંત્રાલયમાં રસ નથી અને તેમણે ભાજપને બિનશરતી સમર્થન આપ્યું છે.