પાર્ટીનો લોગો બંને ખૂંચવાઈ જવાની ભીતિ મમતાને પ્રચંડ પછડાટ તૃણમૂલનું રેકગ્નીશન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યાયમૂર્તિ અભિજિત ગંગોપાધ્યાયે શુક્રવારે જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસની સ્વીકૃતિ તેમજ પાર્ટીનો લોગો બંને રદ્દ કરવા ચૂંટણી પંચને કહેવું પડશે. ન્યાયમૂર્તિશ્રીનાં આ વિધાનોથી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભારે પછડાટ મળ્યો છે.
ન્યાયમૂર્તિએ વધુમાં કહ્યું હતું કે કોઇને ભારતમાં સંવિધાન સાથે કશું પણ કરવાનો કોઈ અધિકાર નથી. મારે તૃણમૂલ કોંગ્રેસની રાજકીય પક્ષ તરીકેની સ્વીકૃતિ તથા પક્ષનો લોગો બંને રદ કરવા ચૂંટણી પંચને કહેવું પડશે.
ન્યાયમૂર્તિએ તે વિધાનો ત્યારે કર્યા હતાં કે જ્યારે રાજ્યના શિક્ષણ સચીવ મનીષ જૈને તેઓની પીડીકાને જણાવ્યું હતું કે, ગેરકાયદે કહેવાતી નિયુક્તિ સહિત ઘણા શિક્ષક તરીકે ભર્તી કરવામાં આવી હતી, તે માટે વધારાની જગ્યાઓ પણ ઉભી કરવામાં આવી હતી. તે નિર્ણય પશ્ચિમ બંગાળની કેબિનેટે લીધો હતો અને તેનો અમલ કરવા રાજ્યના શિક્ષણ મંત્રી બ્રત્ય બસુએ હુક્મ પણ કર્યો હતો.
આ સાંભળી ન્યાયમૂર્તિ ગંગોપાધ્યાયે પૂછ્યું હતું કે અયોગ્ય ઉમેદવારને પણ ગેરકાયદે રીતે જગ્યા કરી આપવાનો નિર્ણય લઇ જ કેમ શકાય ? રાજ્યની કેબિનેટે જાહેર કરવું જોઇએ કે તે ગેરકાયદે નિયુક્તિને પુષ્ટિ આપતી નથી. સાથે મે ૧૯ના દિને પ્રસિદ્ધ કરેલું વધારાના શિક્ષકોની ભર્તી અંગેનું જાહેરનામું પણ પાછું ખેંચવું જોઇએ. નહીં તો મારે દેશમાં અભૂતપૂર્વ તેવો નિર્ણય લેવો પડશે. મને લાગે છે કે દેશમાં લોકશાહી યોગ્ય હાથોમાં નથી, અથવા લોકશાહી યોગ્ય રીતે વિકસી શકી નથી. ન્યાયમૂર્તિ ગંગોપાધ્યાયે વધુમાં કહ્યું હતું કે જો જરૂર લાગશે તો આ કેસમાં હું રાજ્યની સમગ્ર કેબિનેટને પાર્ટી બનાવીશ. કેબિનેટના દરેક સભ્યને બોલાવીશ. જરૂર લાગશે તો તમામને શો-કોઝ નોટિસ પણ મોકલીશ.
આ સુનાવણી દરમિયાન શિક્ષણ સચીવ જૈનને ન્યાયમૂર્તિ ગંગોપાધ્યાય અનેક પ્રશ્નોનો સામનો કરવો પડયો હતો.
ન્યાયમૂર્તિ ગંગોપાધ્યાયે જૈનને પૂછ્યું હતું કે આવા નિર્ણયો લઇ કેબિનેટે સંવિધાનનો ભંગ કર્યો છે તેમ તમો માનતા નથી ? કેબિનેટના સભ્યો આવા નિર્ણયને સ્વીકારી જ કેમ શકે ? કોઇએ તેમનું ધ્યાન જ ન ખેંચ્યું ?
આના જવાબમાં જૈને કહ્યું કે તે નિર્ણય લેવાયો ત્યારે કે બેનિટે મિટિંગમાં તેવો હાજર ન હતા. તેમણે વધુમાં કહ્યું કે આ વધારાના શિક્ષકોની જગ્યા ઉભી કરવા શિક્ષણ મંત્રીએ જ્યારે કહ્યું ત્યારે તેઓને કાનૂની સલાહ લેવા માટે પણ સૂચવવામાં આવ્યું હતું. ત્યારે કોર્ટે પૂછ્યું કાનૂની સલાહ લેવામાં આવી હતી ત્યારે શિક્ષણ સચીવનો ઉત્તર હતો જી ના.
આ પછી ન્યાયમૂર્તિએ કહ્યું ગેરકાયદે નિયુક્તિઓ શું રાજ્યની નીતિ બની રહી છે ? અયોગ્ય ઉમેદવારો પાછળ સરકારે શા માટે ખર્ચ કરવો જોઇએ ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.