![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/142068-usa-afp-coronavirus.jpg)
દિલ્હીમાં સારવાર સસ્તી કરાશે, મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૩૭૫૨ નવા કેસ સામે આવ્યા.
દેશમાં કોરોનાની સંખ્યા વધીને ૩ લાખ ૮૧ હજાર ૫૩૭ થઈ ગઈ છે. જેમાંથી અત્યાર સુધી ૨ લાખથી વધારે દર્દી સાજા થયા છે.છેલ્લા ૫ દિવસમાં ૪૨ હજાર ૮૫૬ લોકો સાજા થયા છે. ગુરુવારે સૌથી વધારે ૧૩ હજાર ૮૨૬ કેસ મળ્યા હતા. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૨ લોકોના મોત થયા હતા.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, તમામ રાજ્યોના કોરોના ટેસ્ટની ફી એકસરખી હોવી જોઈએ. ક્યાંક ટેસ્ટ ૨૨૦૦ રૂપિયામાં તો ક્યાંક ૪૫૦૦ રૂપિયામાં થઈ રહ્યા છે. આવું ન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી જાતે નોટિસ લઈને કરી છે. જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, આના માટે તમામ રાજ્યો મળીને કામ કરે.
દિલ્હીની પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે બેડનો ભાવ નક્કી કરવા માટે બનાવાયેલી કમિટિએ શુક્રવારે ભલામણ ગૃહ મંત્રાલયને સોંપી હતી. ગૃહમંત્રી અમિત શાહે ૧૩ જૂને આ કમિટિની રચના કરી હતી.