કોટા જંક્શન પાસે ટ્રેન દુર્ઘટના, જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનના કોટા જંક્શન પાસે ટ્રેન દુર્ઘટના બની છે. મોડી રાત્રે જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. મુસાફરો ટ્રેનની બહાર નીકળી ગયા હતા. ઘટનાને પગલે રેલવે પોલીસ, બચાવ ટીમ તેમજ ટેકનીકલ ટીમ પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી.

ટ્રેનના અચાનક પાટા પરથી ઉતરી જવાથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને ટ્રેન ઉભી રહેતા જ તેઓ કોચમાંથી બહાર આવી ગયા હતા. આ પછી લોકો પાયલટે નજીકના સ્ટેશન માસ્ટરને આ દુર્ઘટના વિશે જાણ કરી. ત્યારબાદ કોટા જંક્શનથી કર્મચારીઓની એક ટીમ બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.