![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/Untitled-10.jpg)
આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, ૨ વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ
કોરોના વાયરસ સંકટની વચ્ચે આજે કેન્દ્રીય મંત્રીમંડળની ફરી એકવાર બેઠક મળી હતી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વડા પ્રધાન નિવાસ સ્થાને આ બેઠક મળી હતી. સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી, જેમાં વરિષ્ઠ મંત્રીએ ભાગ લીધો હતો. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે.
આમાં એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ APAC એક્ટમાં સુધારાને મંજૂરી આપવામાં આવી છે. હવે ખેડુતો પોતાનો પાક સીધી વેચી શકશે, હવે ભારત ખેડુતો એક દેશ એક બજાર હશે. સાંજે ૪ વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયોની વિગતવાર જાણકારી આપવામાં આવશે.
કેબિનેટમાં આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોના સંગ્રહની મર્યાદા નાબૂદ કરવાના ઓર્ડિનન્સને મંજુરી આપવામાં આવી હતી. હવે ફક્ત આ ખૂબ જરૂરી પરિસ્થિતિમાં જ સંગ્રહને માર્યાદિત કરી શકાશે. આ અંગેની જાહેરાત ૨૦ લાખ કરોડના પેકેજમાં કરવામાં આવી હતી.
મોદી સરકારના બીજા કાર્યકાળનું તાજેતરમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં આ સોમવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં MSME ક્ષેત્ર અને ખેડૂતોને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે આજે બુધવારે એક બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે ઘણીવાર બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળતી હોય છે.
અર્થતંત્ર પર કોરોનાની અસર ઘટાડવા માટે સરકારે ગયા મહિને ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. તેની કેટલીક દરખાસ્તોને બે દિવસ પહેલા યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સોમવારે મળેલી બેઠકમાં, માઈક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ (MSME) માટે રૂ. ૫૦ હજાર કરોડના ભંડોળ અને આર્થિક મુશ્કેલીઓથી ઝઝૂમતા MSME માટેના રૂ. ૨૦ હજાર કરોડની લોન યોજનાને મંજૂરી આપી હતી. આ સિવાય બેઠકમાં ૧૪ ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.