અયોધ્યામાં ચોરી, ભક્તિપથ-રામ પથ પર લગાવેલી 4,000થી વધુ લાઈટો ગાયબ

ગુજરાત
ગુજરાત

અયોધ્યામાં ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં સ્થિત ભક્તિ પથ અને રામ પથ પર 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની  લાઇટો કથિત રીતે ચોરાઈ છે. તેમણે કહ્યું કે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ લાઇટ લગાવનાર કંપની – યશ એન્ટરપ્રાઇઝ અને ક્રિષ્ના ઓટોમોબાઇલ્સના પ્રતિનિધિ દ્વારા 9 ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

કંપનીના પ્રતિનિધિ શેખર શર્માએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 3,800 લાઇટ અને 36 પ્રોજેક્ટર લાઇટની ચોરી થઇ છે. એફઆઈઆર અનુસાર, કંપનીને મે મહિનામાં ચોરીની જાણ થઈ હતી પરંતુ 9 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે.

ચોરો સામે કાર્યવાહી કરવામાં આવશે

પવિત્ર શહેરમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા એક મોટા પ્રોજેક્ટના ભાગ રૂપે અયોધ્યાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ ચોરીનો મામલો ધરમનગરના એક સ્થળનો છે જ્યાં સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવે છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર મામલે હજુ સુધી જિલ્લા પ્રશાસને કોઈ નિવેદન આપ્યું નથી. એફઆઈઆર દાખલ કરનાર યશ એન્ટરપ્રાઈઝના કર્મચારીઓ પણ કેમેરાની સામે આવવા તૈયાર નથી. સૂત્રોનું માનીએ તો અગાઉ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ અયોધ્યા જિલ્લામાં ફેન્સી લાઇટો ન લગાવવા બદલ સંગઠન સામે નારાજગી વ્યક્ત કરી હતી અને પગલાં લેવાની વાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.