![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/ધો.10-અને-ધો.-12ની.jpg)
દેશનાં ધાર્મિક સ્થળ ખોલવાની માંગ અંગે સુપ્રીમે જવાબ માંગ્યો.
દેશના તમામ ધાર્મિક સ્થળ શ્રદ્ધાળુ માટે ખોલવાની માંગ અંગે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી અંગે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, એ.એસ. બોપન્ના અને વી. રામાસુબ્રમણ્યમે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપી છે. તેમને 4 સપ્તાહમાં જવાબ આપવા કહેવાયું છે.
કોર્ટે કહ્યું છે કે આ નોટિસ માત્ર સંભાવના ચકાસવા માટે જ ઇશ્યુ કરાઈ છે. અમદાવાદ સ્થિત ગીતાર્થ ગંગા ટ્રસ્ટના વકીલ સુરજેન્દુ શંકરદાસ દ્વારા આ અરજી કરાઈ છે. તેમાં કહેવાયું છે કે શોપિંગ મોલ, બાર બધુ ખોલાયા છતાં ધાર્મિક સ્થળ ખોલવાની મંજૂરી નથી એ મૌલિક અધિકારની વિરુદ્ધનું કૃત્ય છે.