![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/918Board-exam-PTI.jpeg)
ધોરણ ૧૦ અને ૧૨ના બાકીના ૨૯ વિષયની પરીક્ષા તો યોજાશે જ : CBSE
નવી દિલ્હી. CBSEએ કહ્યું છે કે લૉકડાઉનના કારણે અધવચ્ચે સ્થગિત થઈ જવાને કારણે ૧૦મા અને ૧૨માના જે વિષયોની પરીક્ષાઓ ન લેવાઈ શકી તેને હાલ રદ કરવામાં આવી નથી. સીબીએસઈએ બુધવારે કહ્યું કે બાકીના વિષયોની પરીક્ષાઓ યોજવાનો નિર્ણય ૧ એપ્રિલે લેવાયો હતો અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. બાકીના તમામ ૨૯ વિષયોની પરીક્ષાઓનું આયોજન કરાશે.
સીબીએસઈ સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે ૧ એપ્રિલના સર્ક્યુલર અનુસાર ૧૨માની પરીક્ષા લૉકડાઉન હટવા અને આગળની સ્થિતિના હિસાબે પ્લાન કરાશે. પરીક્ષાનું આયોજન ક્યારે થશે તેની માહિતી ૧૦ દિવસ પહેલાં અપાશે.
Tags Banaskantha Gujarat india Rakhewal