આજથી ઝારખંડ-ઓડિશાના ચાર દિવસીય પ્રવાસ પર રહેશે રાષ્ટ્રપતિ, આદિવાસી જૂથ સાથે કરશે વાતચીત
રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ બુધવારે ઝારખંડ અને ઓડિશાના ચાર દિવસીય પ્રવાસે જશે. તેઓ બુધવારે રાંચીમાં ઝારખંડ સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. તે જ દિવસે, મુર્મુ ઓડિશાના રાયરંગપુરમાં કેન્દ્ર સરકારના હોલિડે હોમનો શિલાન્યાસ કરશે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ‘આ અવસર પર તેઓ રાયરંગપુરમાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે. તેઆ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને વર્ષાનું પણ ઉદ્ઘાટન કરશે.
દ્રોપદી મુર્મુ 29 ફેબ્રુઆરીના રોજ કેઓંઝર જિલ્લાના ગોંસિકામાં કડલીબાડી ગામના ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથના સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તે પછી તેઓ ‘કિયોંઝરની આદિજાતિ, સંસ્કૃતિ અને વારસો’ પર રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરશે અને પછી ઉત્તર કેમ્પસમાં ધરણીધર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધશે.
ભુવનેશ્વરમાં દીક્ષાંત સમારોહમાં હાજરી
રાષ્ટ્રપતિ સાંજે ભુવનેશ્વરમાં ઉત્કલ યુનિવર્સિટીના 53માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. મુર્મુ 1 માર્ચના રોજ ભાંજા બિહારમાં બેરહામપુર યુનિવર્સિટીના 25માં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘આ પછી તેઓ ઓડિશાના કટકમાં બ્રહ્મા કુમારીઝની સુવર્ણ જયંતિની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિ રાજભવન, ભુવનેશ્વર ખાતે ઓડિશા સરકાર દ્વારા પીએમ જનમનની રજૂઆત નિહાળશે. ત્યારબાદ 2 માર્ચે રાષ્ટ્રપતિ મુર્મુ ઓડિશાના સંબલપુર જિલ્લામાં સંથા કબી ભીમા ભોઈ સંબંધિત વિવિધ સ્થળોની મુલાકાત લેશે. તેઓ સંબલપુરના મિની સ્ટેડિયમમાં મહિમા પંથના અનુયાયીઓને પણ મળશે.