નવા કેબિનેટમાં 52 મંત્રીઓ હશે, કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી CM બનશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હું આદિત્યનાથ યોગી ઇશ્વરના શપથ લઉં છું…આ લાઇન સાથે યુપીમાં યોગી સરકાર 2.0 શાસન શરૂ થશે. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 4 વાગે યોગી બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા મોટા સમાચાર એ છે કે અગાઉની સરકારના 20 મંત્રીઓને બહાર કરવામાં આવ્યા છે. એટલે કે આ વખતે તેમને કેબિનેટમાં સ્થાન નથી મળી રહ્યું. 52 ધારાસભ્યો મંત્રી બનવા જઈ રહ્યા છે કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી સીએમ બનશે.

જ્યારે, મુખ્યમંત્રી આવાસથી એવા ધારાસભ્યોને પણ ફોન આવ્યા છે જેમને મંત્રી બનાવવાના છે. આ ધારાસભ્યો મુખ્યમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે. અત્યાર સુધી કેશવ મૌર્ય, એકે શર્મા, જિતિન પ્રસાદ, સ્વતંત્ર દેવ, બલદેવ સિંહ ઓલખ, બેબી રાની મૌર્ય સહિતનાં ધારાસભ્યો સીએમ આવાસ પર પહોંચ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.