લશ્કરી શ્વાને બબ્બે ગોળીઓ વાગી છતાં ત્રાસવાદીઓને છોડયા નહીં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એક લશ્કરી આક્રમક શ્વાનને સોમવારે સવારે આતંકીઓને શોધવા સલામતી દળોએ છોડી મુકયો હતો. વાસ્તવમાં દ. કાશ્મીરના તંગપવા વિસ્તારના એક મકાનમાં આતંકીઓ છુપાયા છે, તેવી પાકી માહિતી મળતાં સલામતી દળોએ રવિવાર રાતથી જ તે મકાનને ઘેરી લીધું હતું. સોમવારે સવારે જવાનોને ઝૂમ નામના શ્વાનને તે મકાનમાં જવા આદેશ આપ્યો. ઝૂમ વિષે તેમણે જણાવ્યું હતું કે, તે ખૂબ જ તાલિમબદ્ધ, ઝનૂની અને પ્રતિબદ્ધ શ્વાન છે. તેને ત્રાસવાદીઓને શોધવા ખાસ તાલિમ અપાઈ છે. તેણે કાશ્મીરમાં થયેલી કેટલીયે અથડામણોમાં ભાગ લીધો છે. તે એ મકાનમાં ઘૂસી ગયો હતો અને આતંકીઓ સામે રીતસર યુદ્ધ જ કરવા લાગ્યો, ત્યારે આતંકીઓએ તેને બે ગોળી પણ મારી હતી. આથી ભારે ઇજાગ્રસ્ત થયો હોવા છતાં તેણે આતંકીઓને છોડયા નહીં. દરમિયાન સલામતી દળોએ તે બંને લશ્કર-એ-તૈય્યબા આતંકીઓને ઠાર માર્યા. પરંતુ તેમાં બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા. તે જવાનો અને તે બહાદૂર શ્વાન ‘ઝૂમ’ને સારવાર અપાઈ રહી છે. ઝૂમ ને વેટરનરી હોસ્પિટલ (પશુ ચિકિત્સાલય)માં સારવાર અપાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.