ચૂંટણીપંચે કહ્યું, 18 જુલાઈએ મતદાન અને જરૂર પડશે તો 21 જુલાઈએ કાઉન્ટિંગ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022નું રણશિંગુ ફૂંકાવાનો સમય આવી ગયો છે. આજે ચૂંટણીપંચ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ચૂંટણીપંચે કહ્યું હતું કે 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે અને જરૂર પડશે તો 21 જુલાઈએ મતગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવાનો છે. ગઈ વખતે 17 જુલાઈ 2017માં નવા રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી થઈ હતી.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવાર લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને રાજ્યો અને સંઘ શાસિત રાજ્યોના ધારાસભ્યોની સંખ્યાના આધારે એનડીએ ગઠબંધન યુપીએ ગઠબંધનની સરખામણીએ ખૂબ આગળ છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરનાર રાજકીય ગઠબંધનોની વાત કરીએ તો કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધન પાસે હાલ 23 ટકા વોટબેન્ક છે, જ્યારે એનડીએ ગઠબંધન પાસે યુપીએ કરતાં બમણી એટલે કે અંદાજે 49 ટકા વોટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.