કેજરીવાલે કહ્યું- પ્લાઝમા બેન્ક તૈયાર કરી રહ્યા છીએ, ડોક્ટરની ભલામણ બાદ જેમને જરૂર હશે તેમને પ્લાઝમા આપીશું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનાવાયરસ સંક્રમિતોનો ઇલાજ હવે પ્લાઝમાથી કરવામા આવશે. તેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બાઇલિયરી સાયન્સેઝ હોસ્પિટલમાં પ્લાઝમા બેન્ક તૈયાર કરવામા આવી રહી છે. ડોક્ટરની ભલામણ પર બે દિવસ બાદ અહીંથી દર્દીઓને પ્લાઝમા મળવાનું શરૂ થઇ જશે. કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારે પ્લાઝમા થેરેપીથી દર્દીઓના ઇલાજનું ટ્રાયલ કર્યું હતું. તેમાં સફળતા મળી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ લોકોને બેંકમાં વધુ પ્રમાણમાં પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી છે.

કેજરીવાલે એલએનજેપી હોસ્પિટલના ડોક્ટર અસીમ ગુપ્તાની મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમના પરિવારને એક કરોડ રૂપિયા આપવામા આવશે.

દિલ્હીમાં સોમવારે સવાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા ૮૩ હજારથી વધુ થઇ ગઇ છે. તેમાંથી ૫૨૬૦૭ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે ૨૬૨૩ લોકોના મોત થયા છે. દેશમાં અત્યારસુધી ૫ લાખ ૪૮ હજાર ૬૬૯ કોરોના કેસ નોંધાયા છે. તેમાંથી ૩.૨૧ લાખ દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે ૨.૧૦ લાખ લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. ૧૬ હજાર ૪૯૨ સંક્રમિતોના મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.