અટલ ટનલના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવનારા પ્રસિદ્ધ સાહિત્યકાર છેરિંગ દોરજેનું કોરોનાથી મોત, આ સ્વપ્ન રહ્યું અધુરૂ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાના કારણે પ્રસિદ્ધ સાહિત્યકાર 85 વર્ષના છેરિંગ દોરજેનું નિધન થયું છે. છેરિંગ દોરજેએ સાહિત્ય ક્ષેત્રમાં દુનિયામાં નામ રોશન કર્યું હતું. અટલ ટનલના નિર્માણને લઈને મહત્વનું યોગદાન રહ્યું છે. તેણે આ અંગે કેન્દ્ર સરકારને ઘણા પત્રો પણ લખ્યાં હતા અને કેન્દ્ર સરકારની પાસે દિલ્હી પણ ગયા હતાં.

અટલ ટનલમાંથી પસાર થતી પહેલી બસમાં હતું નામ

દેરજે હિમાચલના જનજાતીય જિલ્લા લાહૌલ સ્પીતિને એક અલગ ઓળખ અપાવી હતી. અટલ ટનલના ઉદ્ઘાટન દરમયાન ટનલમાંથી પસાર થયેલી પહેલી બસમાં સવાર થનારા લોકોમાં શામેલ હતા. પરંતુ તે કોરોનાના કારણે બસ યાત્રામાં શામેલ થયા ન હતા. પરંતુ હવે કોરોના સંક્રમણના કારણે તેનું નિધન થયું છે.

બે દિવસ પહેલા આવ્યાં હતા ઝપેટમાં

છેરિંગ દોરજેને 10 નવેમ્બરના કુલ્લુ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવી હતી. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાદમાં તે ભુંતર સ્થિત તેગૂબેગહડ કોરોના કેયર સેન્ટરમાં દાખલ થયા હતાં. પરંતુ ગુરૂવારે 12 નવેમ્બરના રોજ તબિયત બગડતા તેને મેડિકલ કોલેજ નેરચોકમાં રિફર કરવામાં આવ્યાં હતાં. અહીંયા પર શુક્રવારે સવારે તેનું નિધન થયું છે. તેના મોટા પુત્ર પણ કોરોનાથી સંક્રમિત હતા. પુત્રની પણ નેરચોકમાં સારવાર ચાલી રહી છે અને ત્યાં તે સ્વસ્થ થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.