ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ પર પથ્થરમારો, 2 જૂથો વચ્ચે અથડામણ, પોલીસે લાઠીચાર્જ કર્યો

ગુજરાત
ગુજરાત

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન માટે ભગવાન ગણેશની મૂર્તિ લઈ જતી વખતે હંગામો થયો હતો. હિંદુસ્તાની મસ્જિદ પાસેની પ્રતિમા પર કેટલાક છોકરાઓએ પથ્થરમારો કર્યો હોવાના સમાચાર ફેલાઈ ગયા, જેના પછી ભીડ ગુસ્સે થઈ ગઈ અને બે જૂથો વચ્ચે અથડામણ થઈ. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોલ્લા કમિટી અને પોલીસ દ્વારા વણઝરપટ્ટી નાકા ખાતે આવેલી હિન્દુસ્તાની મસ્જિદની બહાર મંડપ બાંધીને ગણેશ મંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોડી રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં ભગવાન ગણેશને વિસર્જન માટે ઘુંઘાટ નગરથી કમવારી નદીમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જ્યારે ગણેશજીની મૂર્તિ વણઝરપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સમાચાર આવ્યા કે હિન્દુસ્તાની મસ્જિદ પાસે કેટલાક છોકરાઓએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો. આ ઘટનાને કારણે પ્રતિમા ખંડિત થઈ હોવાનું પણ કહેવાય છે. જો કે પોલીસ તેની તપાસ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.