રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું 72 વર્ષની ઉંમરે નિધન

ગુજરાત
ગુજરાત

રાજયના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. આપણે જણાવી દઈએ કે લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમણે સુરતમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આજે સાંજે પાંચ વાગ્યે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પારલે પોઈન્ટથી તેમની અંતિમ યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ ખાતે જવા રવાના થશે. મહત્વનું છે કે રમેશચંદ્ર સંઘવી અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલા હતા.

હર્ષ સંધવીના પિતા છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાના કારણે સારવાર હેઠળ હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની તબિયત વધુ નાદુરસ્ત થતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પિતાની સારવાર દરમિયાન હાજર હતા. લાંબી બીમારી બાદ રમેશચંદ્ર સંઘવીનું આજરોજ નિધન થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.