દેશમાં અત્યાર સુધી નવા 30254 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 98.57 લાખને પાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી
ભારતમાં કોવિડ -19 થી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 98.57 લાખ થઈ ગઈ છે, જેમાંથી 93.57 લાખ સ્વસ્થ થયા છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 94.93 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ, સંક્રમણના નવા 30254 કેસો પછી અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 98,57,029 થઈ ગઈ છે, આજે 391 લોકોના મોત જાહેર થયા પછી મૃત્યુઆંક વધીને 1,43,019 થઈ ગયો છે.

અત્યાર સુધી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા 93,57,464 પર પહોંચી ગઈ છે અને રાષ્ટ્રીય સ્તરે રિકવરી રેટ વધીને 94.93 ટકા થયો છે, જ્યારે મૃત્યુ દર 1.45 ટકા છે. એક્ટિવ કેસની સંખ્યા સતત સાતમા દિવસે ચાર લાખથી નીચે છે. મળતી માહિતી મુજબ દેશમાં હાલમાં 3,56,546 સંક્રમિતો સારવાર લઈ રહ્યા છે, જે કુલ કેસના 3.62 ટકા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.