કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા તોડી નાખી, ભારતીય-અમેરિકનોમાં રોષ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકી સરકારે તપાસના આદેશ આપ્યા, અગાઉ વોશિંગ્ટનમાં પણ ગાંધીજીના સ્મારકને કૂચડો ફેરવી દેવાતા હોબાળો થયો હતો

30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી, એક તરફ જ્યારે વિશ્વભરમાં ગાંધીજીને યાદ કરીને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી હતી ત્યારે બીજી તરફ લોકશાહીની વાતો કરતા અમેરિકામાં ગાંધીજીના સ્ટેચ્યૂને તોડી નાખવાની ઘટના સામે આવી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આ ઘટના બની છે જેની ભારતે નિંદા કરી છે અને જે પણ આરોપીઓ હોય તેની સામે પગલા લેવાની માગણી કરી છે.

કેલિફોર્નિયાના ડેવિસમાં સેન્ટ્રલ પાર્કમાં આવેલા 6 ફૂટ ઉંચા અને 294 કિલો વજન ધરાવતા બ્રોંઝના સ્ટેચ્યૂને તોડી પાડવામાં આવ્યું હતું, એટલુ જ નહીં તેના પર પ્લાસ્ટિક લપેટી દેવામાં આવ્યું હતું.

માત્ર એક જ મહિનામાં બીજી વખત ગાંધીજીના સ્ટેચ્યૂને નુકસાન પહોંચાડી અપમાનીત કરવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુને 2016માં ભારત સરકારે ભેટ સ્વરૂપે અમેરિકાને સોપ્યું હતું. સ્ટેચ્યૂને તુટેલી અને ખરાબ અવસૃથામાં પાર્કના એક કર્મચારીએ જોયુ હતું જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ભારત સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ ઘટનાને ભારત સરકાર આકરા શબ્દોમાં વખેડી કાઢે છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે અમેરિકન પ્રશાસન આકરા પગલા લે. અમેરિકા સિૃથત ભારતીય એમ્બેસીએ પણ સમગ્ર મામલાને લઇને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટને તપાસ કરવા માટે કહ્યું છે.

જોકે આ મામલાને લઇને હજુસુધી કોઇ શખ્સનું નામ સામે નથી આવ્યું, તેમ જ સ્ટેચ્યૂને કેમ નુકસાન પહોંચાડવામાં આવ્યું તેનું કારણ પણ જાણવા નથી મળ્યું. કેલિફોર્નિયા પ્રશાસને પણ આ ઘટનાની નિંદા કરી હતી અને જે પણ લોકો જવાબદાર હોય તેની સામે પગલા લેવાની ખાતરી આપી હતી. વોશિંગ્ટનમાં પણ મહિના પહેલા ગાંધીજીના સ્મારકને કુચડો ફેરવી દેવામા આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.