RSSનું આહ્વાહન જાતિવાદ છોડી રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર થવા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે રવિવારે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન શ્રી રામ અને મહારાણા પ્રતાપનું ઉદાહરણ આપતા, લોકોને જાતિવાદ છોડીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનું આહ્વાહન કર્યું હતુ. RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે, ભગવાન શ્રી રામે ક્યારેય જાતિવાદનું પાલન કર્યું નથી. એક નીચલા વર્ગના ભક્ત સબરીના ઘરે બોર ખાધા હતા.મહારાણા પ્રતાપનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, મહારાણા પ્રતાપની સેનામાં પણ ‘ભીલ’ અને અન્ય જાતિના લોકોનો સમાવેશ થતો હતો, જે તેમની સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધોને દર્શાવે છે. જ્યારે એ સમયે પણ તેઓએ ભેદભાવ ન રાખ્યો ત્યારે આપણે આવું કેમ કરી રહ્યા છીએ? આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણે બધા હિંદુ છીએ અને આપણે ભાઈઓ છીએ. જ્યારે દેશ આપણને બધું આપે છે તો આપણે પણ તેને પાછું આપતા શીખવું જોઈએ. આપણી વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ અને આપણામાં સ્વાભિમાન, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો જોઈએ.” હજારો લોકોને સંબોધિત કરતા હોસબાલેએ કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાના બાળકોમાં દેશભક્તિની ભાવના કેળવવી જોઈએ. જેથી આ બાળકો મોટા થઈને એક સારા નાગરિક બની શકે. કારણ કે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ આઝાદીની ચળવળના નારા હતા, આપણે તેમને પણ ગાવા જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.